રાજકોટના જંગલેશ્વર વિસ્તારના કોરોના વાયરસનાં પોઝીટીવ કેસને લઈને થયો સૌથી મોટો ખુલાસો…..

રાજકોટ,

13/4/2020 ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાવાયરસ ને લઈને ક્રાઇમ બ્રાન્ચનિ ટેક્નિકલ સર્વલન્સ દ્વારા ખુલાસો થયેલ છે. જ્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.અને તેમને તમામને ક્યાંથી ચેપ લાગ્યો છે તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે.

જ્યારે ક્રાઈમ બ્રાન્ચ ટેક્નિકલ સર્વલન્સ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી દ્વારા જ બીજા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે જંગલેશ્વરના 9 પોઝિટિવ દર્દીઓની કોલ ડીટેઈલ કાઢતાં આ સમગ્ર ખુલાસો થયો હતો. જ્યારે પ્રથમ દર્દીના સંપર્કમાં આવતા જ આ લોકોને ચેપ લાગ્યો છે. જ્યારે નોંધનીય છે કે, રાજકોટમાં કુલ ૧૮ કોરોના પોઝિટિવ કેસ છે એમાંથી 9 કેસ તો જંગલેશ્વર વિસ્તારના જ છે.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment